Janloksatya
Breaking News
अन्यઅકસ્માતઆણંદ જિલ્લા

કાળુ ખડોધી જવાના રોડ ઉપર બદલપુર ગામના બાઈક ચાલકને મિની ટેમ્પોના ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક યુવકનુ મોત

બોરસદ તાલુકાના કાળુ ખડોધી જવાના રોડ ઉપર કાળુ ગામની સીમમાંથી બદલપુર ગામના બાઈક ચાલકને મિની ટેમ્પોના ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક યુવકનુ મોત નિપજ્યાની ફરિયાદ વિરસદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

બદલપુર ગામે અક્ષરબાગ સીમ પરમાર ભાગ વિસ્તારમાં 35 વર્ષીય મુકેશભાઈ રતનસિંહ માધવસિંહ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. અને ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓની ઘરની નજીકમાં જ કુટુંબી મોટાભાઈ રમેશભાઈ પ્રભાતસિંહ પરમાર પોતાના ત્રણ સંતાનો હિતેશ, સતીશકુમાર ઉર્ફે અજય(ઉ.વ-22) અને હિરલબેન સહિતના પરિવાર સાથે રહે છે.
મુકેશભાઈ માધવસિંહ પરમાર મંગળવારે સાંજના છ વાગ્યે બદલપુર ગામે પોતાના ખેતરમાં માતાજીના મંદિરે ખાતે હાજર હતા. ત્યારે તેઓનો ભત્રીજો સતીશ ઉર્ફે અજય રમેશભાઈ પ્રભાતસિંહ પરમાર બાઈક લઈને કાળુ ખડોધી જવાના રોડ ઉપર કાળુ ગામના ચરા પાસેથી પસાર થતા હતા. ત્યારે પુરઝડપે રોંગ સાઈડે આવી ચઢેલા મિની ટેમ્પોના ચાલકે બાઈક ચાલક સતીશકુમાર ઉર્ફે અજયને ટક્કર મારતા શરીરે તેમજ માથામાં ગંભીર ઈજાઓ તથા સતીશકુમાર ઉર્ફે અજયભાઈનું મોત નિપજ્યુ હતું.આ બનાવ અંગે મુકેશભાઈ રતનસિંહ માધવસિંહ પરમારની ફરિયાદ લઈ વિરસદ પોલીસે છોટા હાથી પીકઅપ ગાડીના ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Share

સંબંધિત પોસ્ટ

એક પછી એક સપનાઓ પૂરા કર્યા

Admin

જો LIC IPO અંગે સરકારની તમામ ગણતરીઓ સાચી પડશે તો શેરબજારમાં અનેક રેકોડ બનશે, જાણો વિગતવાર

કાર્તિક આર્યન ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે વિશ્વના સૌથી રોમેન્ટિક શહેરમાં પહોંચ્યો, ચાહકોએ પૂછ્યું- શું તમે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માંગો છો?

ખંભાતના રેલ્વે ફાટક પાસે બ્રીજ બનતા ટ્રાફિકજામથી મુક્તિ મળશે

જનલોકસત્ય

આણંદ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં ૩૬૫૩ મહિલાઓ સહિત ૧૨,૬૦૦ ઉપરાંત અધિકારી/ કર્મચારીઓ ફરજ સહભાગી બનશે

જનલોકસત્ય

ટેક્સ પેમેન્ટના મામલે અમેરિકાએ કરી ભારતીયોની પ્રશંસા, પોતાના દેશવાસીઓને ભારત પાસેથી શીખવાની સલાહ આપી