બોરસદ તાલુકાના કાળુ ખડોધી જવાના રોડ ઉપર કાળુ ગામની સીમમાંથી બદલપુર ગામના બાઈક ચાલકને મિની ટેમ્પોના ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક યુવકનુ મોત નિપજ્યાની ફરિયાદ વિરસદ પોલીસ મથકમાં નોંધાઈ છે.
બદલપુર ગામે અક્ષરબાગ સીમ પરમાર ભાગ વિસ્તારમાં 35 વર્ષીય મુકેશભાઈ રતનસિંહ માધવસિંહ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. અને ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓની ઘરની નજીકમાં જ કુટુંબી મોટાભાઈ રમેશભાઈ પ્રભાતસિંહ પરમાર પોતાના ત્રણ સંતાનો હિતેશ, સતીશકુમાર ઉર્ફે અજય(ઉ.વ-22) અને હિરલબેન સહિતના પરિવાર સાથે રહે છે.
મુકેશભાઈ માધવસિંહ પરમાર મંગળવારે સાંજના છ વાગ્યે બદલપુર ગામે પોતાના ખેતરમાં માતાજીના મંદિરે ખાતે હાજર હતા. ત્યારે તેઓનો ભત્રીજો સતીશ ઉર્ફે અજય રમેશભાઈ પ્રભાતસિંહ પરમાર બાઈક લઈને કાળુ ખડોધી જવાના રોડ ઉપર કાળુ ગામના ચરા પાસેથી પસાર થતા હતા. ત્યારે પુરઝડપે રોંગ સાઈડે આવી ચઢેલા મિની ટેમ્પોના ચાલકે બાઈક ચાલક સતીશકુમાર ઉર્ફે અજયને ટક્કર મારતા શરીરે તેમજ માથામાં ગંભીર ઈજાઓ તથા સતીશકુમાર ઉર્ફે અજયભાઈનું મોત નિપજ્યુ હતું.આ બનાવ અંગે મુકેશભાઈ રતનસિંહ માધવસિંહ પરમારની ફરિયાદ લઈ વિરસદ પોલીસે છોટા હાથી પીકઅપ ગાડીના ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.