ખંભાત શહેરન સ્ટેશન રોડ, મુખ્ય બજાર, ચુનારા વાળ સહિત વિસ્તારમાં 200થી વધુ તંબુના સ્ટોલ ઉભા કરીને વેપારીઓ ખંભાતી પતંગોનું વેચાણ કરતાં હતાં. જેમાં એક વેપારીએ દોઢ લાખ પતંગો વેચવા માટે ભરી હતી. પરંતુ મોડીરાત્રે પવન સાથે માવઠું થતાં તંબુઓ પાણી પડતાં અંદાજે 7 થી 8 લાખ પતંગો પલળી જતાં 50 થી વધુ વેપારીઓને મોટા ફટકો પડયો છે.
બીજી બાજુ રો મટીરિયલ મોંઘુ થવાને કારણે પતંગોમાં 20 ટકાનો વધારો થયો હતો. જેના કારણે પતંગો ખરીદી આ વર્ષે 30 જેટલી ઓછી જોવા મળતાં વેપારીઓને નુકસાન થવાની ભીંતી હતી ત્યાં રાત્રે પડેલા વરસાદને કારણે સીજનેબલ ધંધો કરતા નાના વેપારીઓની પતંગો પલળી જતાં અંદાજે 10 લાખથી વધુ નુકસાન થતાં વેપારીઓ પાયમાલ થઇ ગયા છે.
ખંભાતની બજારમાં ચુનારા સમાજ દ્વારા ઉત્તરાયણના 5 દિવસ પહેલા 200થી વધુ તંબુ લગાવી પતંગનું વેચાણ કરતા હોય છે. મંગળવાર મોડી રાતે એકાએક વરસાદ ખાબકતા તંબુમાં સુતેલા લોકો કંઈ સમજી શકે એ પહેલા તૈયાર પતંગો પલળી ગઈ હતી, કમાન, ઢઢા માટેનો કલકતાથી આવતો વાંસ 70 ટકા હલકી ગુણવત્તાનો નીકળતા વેપારીઓને પતંગ મોંઘી પડી હતી. જેને પગલે ભાવ ઉંચકાતા મંદીનો માહોલ હતો. ઉપરથી કુદરતી માર પડતા પડ્યા પર પાટુ જેવો ઘાટ વેપારીઓનો થયો છે.