આણંદ લોકસભા વિસ્તારમાં આજરોજ ખંભાત તાલુકાના જલુધ ગામમાં ભાથીજી મહારાજ અને જોગણીઓ માતાજીના મંદિરે દર્શન કરી સૌની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી આણંદ લોકસભા ના ઉમેદવાર અમિતભાઇ ચાવડાની જલુધ સભા યોજાઇ
ત્યાર પછીના પીપળોઇ , ઇસ્લામપુરા, વાડોલા, ભુવેલ, નારણપુરા, ખટનાલ, જીતપુરા, વત્રા, જહાંગીરપુરા, બાજીપુરા, કનકપુરા, ડાલી, ખડોધી, હરીપુરા, રાવપુરા, આબેખડા, અને છેલ્લે ધુવારણ ભાથીજી મંદિર નજીક જંગીમેદની સાથે ધુવારણ સભા યોજાઈ દરેક ગામોમાં ગામલોકોએ સ્વયંભૂ ઉમટીને ઢોલ, નગારા,દારૂખાનું ફોડી ઉમળકાભેર નાની બાળાઓ ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું તમામ ગામમાં સૌ ગ્રામજનો એ અમિત ચાવડાને જંગી મતો થી વિજયી બનાવવીએ તેવો નિરધાર વ્યકત કર્યો હતો
આ પ્રસંગે બોરસદ ના પૂ. ધારાસભ્ય રાજેન્દ્રસિહ પરમાર તથા પૂ. જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, દાનુભા ગોહીલ, સાવજસિહ, ખુશમાનભાઇ પટેલ, શહેર કોગ્રેસ પ્રમુખ રાકેશભાઈ રાણા, નવયુવાનો , આગેવાનો વડીલો, બહેનો ખુબ મોટી સંખ્યામાં સાથે જોડાયેલા હતા.