પરષોત્તમ રૂપાલાનાં નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં વસતા ક્ષત્રિય સમાજનાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે ઉત્તર ગુજરાતનાં ક્ષત્રિય સમાજનું સંમેલન પાટણ ખાતે યોજાવાનું જઈ રહ્યું છે.
પ્રેસ કોન્ફરન્સમાં કરણસિંહ ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, ક્ષત્રિય સમાજ બધાને સાથે લઈને ચાલવાનો છે. આજે યોજાનાર સંમેલનમાં અન્ય સમાજો પણ ઉપસ્થિત રહેશે. તેમજ આજે બધા ઉમટી પડો અને આપણી એકતાનાં દર્શન કરાવો. ઉત્તર ગુજરાતનાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જીલ્લાનાં ક્ષત્રિય આગેવાનો સહિત સમાજનાં લોકો સંમેલનમાં ઉપસ્થિત રહેશે.પોલીસ દ્વારા કરણી સેનાનાં પ્રમુખ રાજશેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરી તેઓને ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે કરણી સેનાનાં અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસ દ્વારા અટકાયત સમયે તેઓ સાથે અસભ્ય વર્તન કરતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.